પરિચય
અબોટી બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ સંસ્થા મૂળ પોરબંદર ની આજુબાજુ રહેતા અબોટી બ્રાહ્મણ જ્ઞાતિના વિકાસ કલ્યાણ અને ઉન્નતિ માટે કામ કરતી સંસ્થા છે.
વધુ માહિતી...
પ્રવૃતિ
કન્યા કેળવણી નો વ્યાપ વધારવો, જુદા જુદા સેવા કર્યો તેમજ યુવાનો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃતિઓ કરવી જેથી તેમનો સર્વાંગી વિકાસ થાય અને જ્ઞાતિ કલ્યાણ નુ ઉમદા કાર્ય કરવું. વધુ માહિતી...
પરવરિશ
સંસ્થા ગંભીર રીતે બીમાર અને આર્થિક અશક્ત ઍવા જ્ઞાતિજન ને તબીબી સારવાર અથવા અન્ય શહેર મા સારવાર માટે ની વ્યવસ્થા અને રહેવા તથા જમવા ની સગવડતા અને તે માટે ભવિષ્યમા તંત્ર ઉભુ કરવાની યોજના છે. વધુ માહિતી...
પરિક્રમા
અબોટી પરીવાર નો મૂળ હેતુ ઍકતા અને અખંડિતતા કાયમ રહે અને આખી જ્ઞાતી ઍક પરિવાર બની રહે ઍવી ઈશ્વર ને પ્રાર્થના.
સંસ્થા વિશે
અબોટી બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ સંસ્થા મૂળ પોરબંદરની આજુબાજુ રહેતા અબોટી બ્રાહ્મણ જ્ઞાતિના વિકાસ કલ્યાણ અને ઉન્નતિ માટે કામ કરતી સંસ્થા છે. સંસ્થાના મુખ્ય પ્રયોજક શ્રી રમેશચંદ્ર ઍમ. ટુકડીયા છે કે જેઓ ભાવસિંહજી હાઇસ્કૂલ પોરબંદરના પૂર્વ આચાર્ય તથા ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-3(નોન ક્લેરીકલ) ના રાજ્યકક્ષાના પૂર્વ મહામંત્રી તથા સરસ્વતિ કેળવણી મંડળ સંચાલિત ઍમ.ઍમ.વી. હાઇસ્કૂલ ના સ્થાપક અને વિકાસકર્તા પૂર્વ મેનેજીંગ ટ્રસ્ટી તરીકે તથા રાષ્ટ્રિય અંધજન મંડળ પોરબંદર જીલ્લા શાખા ના માનદ મંત્રી તથા ડેવલપમેન્ટ ટ્રસ્ટ ફોર ધ ડિસેબલનામેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહેલ છે.
આ સંસ્થા કન્યા કેળવણીનો વ્યાપ વધે તે માટે જ્ઞાતિની કન્યાઑ માટેનું ઍક છાત્રાલય શૈક્ષણિક સંકુલ ઉભું કરવા સ્વપ્ન સેવે છે. વિદ્યાર્થી પાંખ - યુવા પાંખ - મહિલા પાંખ અને વયસ્કો માટેની જુદા જુદા પ્રકારના સેવા કર્યો તેમજ તેઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન કરી જ્ઞાતિ કલ્યાણ નું ઉમદા કાર્ય કરશે. વધુ માહિતી...